Mokshno Khap: Guruhari Ashirwad, 1 Jul 2026, Sarangpur, India

Posted on 05/07/2026
|

In this katha, Param Pujya Mahant Swami Maharaj explains a deep life lesson through an amazing prasang of 'Mulji Brahmchari' narrated by Brahmaswarup Pramukh Swami Maharaj. Even though Mulji Brahmchari was not at fault at all, when he was reprimanded, he did not perceive even a trace of fault in Shriji Maharaj.

Explaining the difference between our normal habits and the spiritual state of the Brahmchari, Swamishri says that Bhagwan conducts such tests only to eradicate our ego. If there is intense desire for liberation in our soul, then even if someone scolds us without any fault, we should not feel hurt. Let us also try to walk on the path of Mulji Brahmchari.

મોક્ષનો ખપ

આ કથામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે વર્ણવેલા 'મુળજી બ્રહ્મચારી'ના એક અદ્ભુત પ્રસંગ દ્વારા જીવનનો ઊંડો પાઠ સમજાવે છે. મુળજી બ્રહ્મચારીનો સહેજ પણ વાંક ન હોવા છતાં જ્યારે તેમને ઠપકો મળ્યો, ત્યારે તેમને શ્રીજી મહારાજનો લેશમાત્ર પણ અવગુણ ન આવ્યો.

આપણા સામાન્ય સ્વભાવમાં અને બ્રહ્મચારીની સ્થિતિમાં શું તફાવત છે તે સમજાવતા સ્વામીશ્રી કહે છે કે, ભગવાન આપણી 'સેવાનું માન' અને 'સ્વભાવ' ને ટાળવા માટે જ આવી કસોટીઓ કરતા હોય છે. જો આપણા જીવમાં 'મોક્ષનો સાચો ખપ' (મુક્તિની તીવ્ર ઈચ્છા) હોય, તો વાંક વગર કોઈ ટોકે તો પણ દુઃખ ન થવું જોઈએ. ચાલો, આપણે પણ મુળજી બ્રહ્મચારીના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીએ.

#BAPS #MahantSwamiMaharaj #guruhari Ashirvad